World Cup 2023: ક્રિકેટ રશિકો માટે ખુશીના સમાચાર ક્રિકેટ વર્લ્ડ કપની તારીખ અને સ્થળ જાહેર

world cup 2023 : વર્લ્ડ કપની રાહ જોઈ રહેલા ક્રિકેટ રસીકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2023 નો ક્રિકેટ વર્લ્ડ કપ ભારતમાં યોજાનાર છે, જે પાંચ ઓક્ટોબરે શરૂ થશે અને નવેમ્બર 19 ના રોજ પૂર્ણ થશે.

ક્રિકેટ વર્લ્ડકપ ૨૦૨૩, સ્થળ અને તારીખ
ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૩ ભારતના વિવિધ શહેરોમાં રમાશે.જેની ફાઇનલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે રમાશે.

ક્રિકેટ વર્લ્ડકપ ૨૦૨૩

ક્રિકેટ વિશ્વ કપની રાહ જોઈ રહેલા ક્રિકેટ રશિયાઓ માટે ક્રિકેટ જગતમાંથી મહત્વના સમાચાર મળી રહ્યા છે જે મુજબ વર્ષ 2023 નો ક્રિકેટ વિશ્વ કપ ભારતમાં યોજાનાર છે જેનો ફાઇનલ અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રામાનાર છે.આ વિશ્વ કપ પાંચ ઓક્ટોબરે શરૂ થશે જે વિવિધ 12 શહેરોમાં યોજવામાં આવશે. વિવિધ 10 ટીમો 46 દિવસ સુધી કુલ 48 મેસ અલગ અલગ જગ્યા ઉપર રમશે જેનું ફોર્મેટ ઓલમોસ્ટ 2019 ના વિશ્વ કપની જેમ જ રહેશે.

આ સ્થળો પર રમાશે વર્લ્ડ કપ ૨૦૨૩

espn cricinfo દ્વારા મળતી માહિતી મુજબ ભારતના વિવિધ શહેરો જેવા કે અહેમદાબાદ, બેંગાલુરૂ, ચેન્નઈ, રાજકોટ ઇન્દોર, લખનઉ, કોલકત્તા, હૈદરાબાદ, ગુવાહાટી, ધર્મશાલા અને દિલ્હીમાં વિશ્વ કપ 2023 ના વિવિધ મેચોનું આયોજન કરવામાં આવશે.

૪ થી વાર વર્લ્ડકપની યજમાની કરશે ભારત

વર્ષ 2023 ના ક્રિકેટ વર્લ્ડ કપ ની વાત કરીએ તો ભારત આ વર્ષે સ્વતંત્ર રીતે cricket World Cup 2023 ની યજમાનાની કરવા જઈ રહ્યું છે. આ પહેલાના વિશ્વ કપની વાત કરવામાં આવે તો વર્ષ 198 સીમા પાકિસ્તાન સાથે મળીને ભારતે વિશ્વ કપનું આયોજન કર્યું હતું તો વર્ષ 1996માં શ્રીલંકા પાકિસ્તાન અને ભારતે સંયુક્ત રીતે વિશ્વ કપની યજમાને કરી હતી. વર્ષ 2011માં શ્રીલંકા અને બાંગ્લાદેશ સાથે મળીને ભારતે ક્રિકેટ વિશ્વ કપની યજમાન કરી હતી. આ ઉપરાંત વર્ષ 2031માં પણ ભારત બાંગ્લાદેશ સાથે મળીને ક્રિકેટ વિશ્વ કપની યજમાનની કરવા જઈ રહ્યું છે.

અમદાવાદમાં આવેલ મોદી સ્ટેડિયમ ખાતે રમાશે ફાઈનલ

મળતી માહિતી મુજબ 1,30,000 દર્શકોની કેપેસિટી ધરાવતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ક્રિકેટ વિશ્વ કપ 2023 ની ફાઇનલ યોજાશે. વર્ષ 1987માં કલકત્તાના ઇડન ગાર્ડન ખાતે તેમજ વર્ષ 2011માં મુંબઈના વાનખેડા સ્ટેડિયમ ખાતે ક્રિકેટ વિશ્વ કપની ફાઇનલ યોજાઈ હતી.

આ પણ વાંચો  IPL 2024 ઓપનિંગ સેરેમનીમાં ધૂમ મચાવશે બૉલીવુડના આ સ્ટાર, મેગા ઈવેન્ટની માહિતી કરાઇ જાહેર

ભારતની વિશ્વકપમાં સફર

વર્ષ 1987 માં કપિલ દેવની કેપ્ટનસી હેઠળ ભારતે સૌપ્રથમવાર વેસ્ટન ડીઝને હરાવીને વિશ્વ કપ જીત્યો હતો તો બીજી તરફ વર્ષ 2011માં શ્રીલંકાને હરાવી ધોનીની કેપ્ટનશીપ હેઠળની ટીમે ભારતની બીજીવાર ક્રિકેટ વિશ્વ કપ જીત આવ્યો હતો. ત્યારબાદ ભારતના ક્રિકેટ ફેન્સ ત્રીજી વાર ભારત વિશ્વ કપ જીતે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

વર્ષ 2019 ના વર્લ્ડ કપમાં ભારત સેમી ફાઇનલ સુધી પહોંચ્યું હતું પરંતુ ફાઇનલમાં જગ્યા બનાવવામાં ના કામ રહ્યું હતું. વર્ષ 2019 ની વર્લ્ડ કપની ફાઇનલ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાઈ હતી જેમાં ભારે રસાકસી બાદ સુપર ઓવરમાં ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયાને હરાવી સૌપ્રથમવાર ક્રિકેટ વર્લ્ડ કપનું ટાઈટલ જીત્યું હતું.