નવી દુકાન ખોલવા માટે સરકાર આપશે 1 લાખની લોન, અરજી ફોર્મ જુઓ તમામ માહિતી

સરકાર લોકોને પગભર કરવા માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડતી હોય છે પરંતુ માહિતીના અભાવના કારણે લોકો તેનો લાભ નથી લઇ શક્તા. આજે અમે તમને એક એવી જ યોજના વિશે જણાવીશું જેનો લાભ લઇને તમે તમારો ધંધો શરૂ કરી શકો છો. આ યોજનાનું નામ છે Stationery Dukan Sahay Yojana 2024. આ યોજના હેઠળ સરકાર એવા લોકોને આર્થિક સહાય પૂરી પાડે છે જેમની આર્થિક સ્થિતી નબળી હોય. આ યોજનાનો લાભ લઇને તેઓને બેંકના ઉચ્ચ વ્યાજ ભરવાની જરૂર રહેતી નથી. સરકાર આ લોકોને ઓછા વ્યાજદરે લોન આપે છે જેથી તેઓ પોતાની દુકાન શરૂ કરી શકે.

દુકાન સહાય યોજના નો મુખ્ય હેતુ શું છે

કેટલાક લોકોને આર્થિક સમસ્યાઓ છે જેથી તે બધા લોકો બેંકો પાસે લોન લઇ શકતા નથી . પરંતુ કેટલાક લોકો સામાન્ય વ્યાજ પર લોન પ્રાપ્ત કરી શકે છે જેથી તેમને એક સ્ટેશનરી દુકાન ખોલવાની મંજૂરી મળી શકે છે જે તેમની આર્થિક સ્થિતિને સુધારી શકે છે અને તેમની આત્મનિર્ભરતા વધારી શકે છે.

સ્ટેશનરી દુકાન સહાય યોજના માટે યોગ્યતા

  • અરજદાર આદિજાતિનો હોવો જોઈએ. (આ યોજનનો લાભ બિન આદિજાતિ અરજદાર પણ લઈ શકે છે.)
  • અરજદારની ઉમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • અરજદારને સ્ટેશનરી તથા તેના સંબંધિત બિઝનેસની તાલીમ લીધેલી હોવી જોઈએ અથવા બુક સેલરને ત્યાં કામ કરેલું કામ કરેલું હોવું જોઈએ અને તેનો પુરાવો રજુ કરવાનો રહેશે.
  • ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અરજદારની વાર્ષિક આવક રૂપિયા 1,20,000 થી ઓછી તથા શહેરી વિસ્તારમાં રહેતા અરજદારની વાર્ષિક આવક રૂપિયા 1,50,000 થી ઓછી હોવી જોઈએ.
  • આ યોજનામાં અરજદારને રૂપિયા 1,00,000 સુધીની સહાય લોન પેટે આપવામાં આવે છે.

સ્ટેશનરી દુકાન સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • ફોટો
  • રેશનકાર્ડ
  • ચૂંટણીકાર્ડ
  • લાઇટબીલ
  • પાનકાર્ડ
  • ધરવેરાની રશીદ
  • જાતિનો દાખલો
  • આવકનો દાખલો
  • ધંધાનો અનુભવનું સર્ટીફીકેટ અથવા તાલીમનું સર્ટીફીકેટ
  • તથા અન્ય
આ પણ વાંચો  વાહન અકસ્માત સહાય યોજના

સ્ટેશનરી દુકાન સહાય યોજનાની અરજી કઈ રીતે કરવી?

આ યોજનાનો લાભ લેવા માટે તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે. અને આ અરજીનું ફોર્મ તમે આદિજાતિ વિકાસ કોર્પોરેશનની વેબસાઈટ www.adijatinigam.gujarat.gov.in પરથી મેળવી શકો છો.
અરજી ફોર્મ ભર્યા બાદ આદિજાતિના અરજદારે આ અરજી ફોર્મ જે તે તાલુકાના આદિજાતિ પ્રયોજના વહીવટદારને મોકલવાની રહેશે તથા બિન આદિજાતિના અરજદારે મદદનીશ કમિશ્નરશ્રી આદિજાતિને મોકલવાની રહેશે.

આ યોજનામાં અરજી તમે જાતે પણ કરી શકો છો જે તમારે esamajkalyan Portal પર અરજી કરી શકો છો અથવા તમે તમારા નજીકના CSC સેન્ટર કે જ્યાં ઓનલાઇન કામગીરી કરતા હોય ત્યાં જઈને તમે ઓનલાઇન અરજી કરી શકો છો.

હેલ્પલાઈન નંબર

જો તમે આ યોજનાનો લાભ લેવા માગો છો અને તમેને આ યોજના સબધિત કોઈ પ્રશ્ન છે તો અથવા તેમ આ યોજની વધુ માહિતી મેળવવા માંગો તો તેના માટે હેલ્પલાઇન નંબર 07923253891 અને 07923253893 પર સંપર્ક કરી શકો છો.

Leave a Comment