વાવાઝોડા દરમિયાન મોબાઈલ નેટવર્ક જતું રહેશે તો શું કરશો? કરો બસ આટલું સેટિંગ એટલે વાપરી શકસો કોઈપણ કંપનીનું નેટવર્ક

વાવાઝોડા દરમિયાન મોબાઈલ નેટવર્ક જતું રહેશે તો શું કરશો? કરો બસ આટલું સેટિંગ એટલે વાપરી શકસો કોઈપણ કંપનીનું નેટવર્ક:વાવાઝોડા દરમિયાન મોબાઈલ નેટવર્ક જતું રહેશે તો શું કરશો?

અન્ય ઓપરેટરનું નેટવર્ક વાપરવા માટે મોબાઇલમા નીચે મુજબનું સેટિંગ કરો:

  • મોબાઈલ સેટિંગ > સિમ કાર્ડ > મોબાઈલ નેટવર્કને મેન્યુલી પસંદ કરો,
  • આ સુવિધા કચ્છ, પોરબંદર, જુનાગઢ, જામનગર, દ્વારકા, રાજકોટ અને મોરબી જીલ્લામાં ઉપલબ્ધ રહેશે.
  • આ સુવિધા કચ્છ, પોરબંદર, જુનાગઢ, જામનગર, દ્વારકા, રાજકોટ અને મોરબી જીલ્લામાં 17 જૂન 2023 સુધી ઉપલબ્ધ રહેશે.
what-to-do-if-the-mobile-network-goes-down-during-a-storm?

વાવાઝોડા દરમિયાન મોબાઈમાં નેટવર્ક ન આવે તો શું કરશો?

Department of Telecommunications એ જણાવ્યુ છે કે મુસીબતના સમયે જો તમારા મોબાઈલમાં નેટવર્ક કામ ન કરે તો તો તમે તમારા મોબાઈલના સેટિંગ્સમાં જઈ મેન્યુઅલી નેટવર્કની પસંદગી કરી શકશો જેમાં મોબાઇલ સેટિંગ્સમાં જઈ સિમકાર્ડ સિલેક્ટ કરી ત્યાર બાદ મોબાઈલ નેટવર્કને મેન્યુઅલી પસંદ કરવાનું રહેશે. આ સુવિધા 17 તારીખ રાતના 11:59 વાગ્યા સુધી ઉપલબ્ધ હશે.

25 વર્ષમાં જૂનમાં ગુજરાતમાં પ્રથમ વાવાઝોડું ત્રાટક્યું હતું

છેલ્લા 25 વર્ષમાં જૂન મહિનામાં ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકનાર બિપરજોય પ્રથમ તોફાન હશે. અગાઉ 9 જૂન 1998ના રોજ ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટક્યું હતું. ત્યારે પોરબંદર નજીક 166 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.

છેલ્લા 58 વર્ષની વાત કરીએ તો 1965થી 2022 વચ્ચે અરબી સમુદ્રમાં 13 ચક્રવાત સર્જાયા હતા. તેમાંથી બે ગુજરાતના દરિયાકાંઠે અથડાયા હતા. એક મહારાષ્ટ્ર, એક પાકિસ્તાન, ત્રણ ઓમાન-યમન અને છ સમુદ્ર પર નબળા પડ્યા.

15 જહાજો તૈનાત

કમાન્ડર કોસ્ટ ગાર્ડ રિજન-નોર્થ વેસ્ટના એકે હરબોલાએ જણાવ્યું કે અમે ગુજરાતમાં 15 જહાજો તૈયાર રાખ્યા છે. સાત વિમાન પણ તૈયાર છે. લેન્ડફોલની સંભાવનાને કારણે, 27 ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમો પણ બનાવવામાં આવી છે. અમે રાજ્ય સરકારના સતત સંપર્કમાં છીએ.

આ પણ વાંચો  UIDAI : આધાર કાર્ડ અપડેશન નિયમોમાં ફેરફાર, હવે આ તારીખ સુધી ફ્રી માં તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકશો

BSF કચ્છમાં સંપૂર્ણપણે તૈનાત

દરિયાકાંઠે તૈનાત બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) એ ગુરુવારે સાંજે ચક્રવાત બિપરજોયના લેન્ડફોલ પહેલા સરહદી વિસ્તારમાં ગ્રામવાસીઓને મદદ કરવા માટે તેના પ્રયાસો ઝડપી બનાવ્યા છે. ચક્રવાત બિપરજોય, જેને ‘ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન’ તરીકે ઓળખવામાં આવે છે, તે ગુરુવારે સાંજ સુધીમાં જખાઉ બંદર નજીક લેન્ડફોલ કરે તેવી અપેક્ષા છે. સરહદની વસ્તીમાં સુરક્ષાની ભાવના જગાડવાનો છે.

ચક્રવાત માત્ર 100 કિલોમીટર દૂર છે

ચક્રવાત બિપરજોય હવે ગુજરાતના દરિયાકાંઠાથી માત્ર 100 કિમી દૂર છે. વાવાઝોડાને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. સરકારે દરિયાઈ વિસ્તારોમાંથી હજારો લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે. દ્વારકાધીશ મંદિરને પણ તોફાન માટે બંધ કરી દેવામાં આવ્યું છે.

બિપરજોય વાવાઝોડું ક્યાં છે?

IMD એ ગુરુવારે બપોરે 2.25 વાગ્યે ચક્રવાત બિપરજોયનું સ્થાન શેર કર્યું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન સવારે 1.30 વાગ્યે જાખોઉ બંદર (ગુજરાત)ના 120km WSW અને દેવભૂમિ દ્વારકાના 170km WNW પર હાજર હતું. તે આજે રાત સુધીમાં જખૌ બંદર (ગુજરાત) નજીકથી પસાર થવાની સંભાવના છે. IMD એ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ચક્રવાત માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

બિપોરજોય ચક્રવાતની અસર ક્યાં જોવા મળશે?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થશે. આ વિસ્તારોમાં પવનની ઝડપ 150 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ અને તોફાની પવનની ચેતવણી આપવામાં આવી છે. આ ચક્રવાતની અસર પડોશી રાજસ્થાન અને મધ્યપ્રદેશ સુધી વ્યાપક રહેશે. દિલ્હી-એનસીઆરથી પંજાબ-હરિયાણા, કેરળ અને બિહાર સુધીના વાવાઝોડાને કારણે હવામાન બદલાશે. તેની અસર દરિયાકાંઠાની નજીકના વિસ્તારોમાં વધુ જોવા મળશે.

Leave a Comment