અદાણી-હિડનબર્ગ કેસમાં સુપ્રીમ ચુકાદો: SEBIની તપાસ પર કોઈ શંકા નહીં, જાણો પોઈન્ટ ઓફ જજમેંટ

ગૌતમ અદાણી માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો આપી રહી છે. આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે સેબી ( SEBI )ની તપાસને યોગ્ય ઠેરવી છે. કોર્ટે કહ્યું કે સેબી ( SEBI ) ને આ મામલાની તપાસ માટે 3 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, કોર્ટે નવેમ્બર-2023માં પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો, જેના પર આજે નિર્ણય સંભળાવવામાં આવ્યો છે.

અદાણી-હિંડનબર્ગ કેસ પર ચુકાદો આપતી વખતે, CJI DY ચંદ્રચુડની ત્રણ સભ્યોની બેન્ચે કહ્યું કે સેબીની તપાસમાં કોઈ ગેરરીતિઓ બહાર આવી નથી. 24 કેસોની તપાસ પૂછવામાં આવી હતી, 2 પર તપાસ બાકી છે જે સેબી ( SEBI )ને ત્રણ મહિનામાં કરવા માટે કહેવામાં આવ્યું છે.

શું કહ્યું સુપ્રીમ કોર્ટે ?

કોર્ટમાં સુનાવણી કરતી વખતે કહેવામાં આવ્યું છે કે, સુપ્રિમ કોર્ટની સેબી ( SEBI )ના રેગ્યુલેટરી ફિલ્ડમાં ડેલિગેટેડ કાયદા બનાવવાની સત્તા મર્યાદિત છે. ન્યાયિક સમીક્ષાનો અવકાશ એ જોવાનો છે કે શું મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થયું છે. વધુ સુનાવણી કરતાં કોર્ટે કહ્યું હતું કે, અમારી પાસે સેબી ( SEBI )ને તેના નિયમોને રદ કરવા માટે નિર્દેશ આપવાનો કોઈ માન્ય આધાર નથી અને હાલના નિયમો વિવાદાસ્પદ સુધારા દ્વારા કડક કરવામાં આવ્યા છે. બાકીની 2 તપાસ સેબી ( SEBI ) દ્વારા 3 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, ભારત સરકાર અને સેબી ( SEBI ) શોર્ટ સેલિંગ પર હિંડનબર્ગ રિપોર્ટ દ્વારા કાયદાનું કોઈ ઉલ્લંઘન થયું છે કે કેમ તેની તપાસ કરશે અને જો તેમ હોય તો કાયદા મુજબ પગલાં ભરશે.

જાણો પોઈન્ટ ઓફ જજમેંટ

  • OCCPR રિપોર્ટના આધારે સેબીની તપાસ પર શંકા કરી શકાય નહીં
  • SEBIની નિયમનકારી પ્રણાલીની ન્યાયિક સમીક્ષાનો અવકાશ મર્યાદિત છે
  • કોર્ટે SEBI ને બાકીની 2 તપાસ 3 મહિનામાં પૂરી કરવાનો નિર્દેશ આપ્યો. સેબી ( SEBI )એ 22 તપાસ કરી છે
  • કોર્ટે SEBI પાસેથી SITને તપાસ સોંપવાનો ઈન્કાર કરી દીધો. અરજદારે આ માંગણી કરી હતી. એટલે કે હવે સેબી ( SEBI ) જ તપાસ કરશે
  • કોર્ટે SEBI ને બદલે એસઆઈટીને તપાસ સોંપવાનો ઈન્કાર કરી દીધો
  • સુપ્રીમ કોર્ટે અદાણી કેસની CBI તપાસની માંગને નકારી કાઢી છે
  • સુપ્રીમ કોર્ટે ભારત સરકાર અને SEBIને ભારતીય રોકાણકારોના હિતને મજબૂત કરવા માટે નિષ્ણાત સમિતિની ભલામણ પર કાર્ય કરવા જણાવ્યું
આ પણ વાંચો  31 જાન્યુઆરી પછી આપવું પડશે ડબલ ટોલ ટેક્સ, નહીં ચાલે ફાસ્ટેગ: આજે જ પતાવી લો આ કામ

ક્યારે આવ્યો હતો આ હિંડનબર્ગનો રિપોર્ટ ?

24 જાન્યુઆરી, 2023ના રોજ અમેરિકન શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગે ગૌતમ અદાણીની તમામ કંપનીઓ પર એક રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. જ્યારે અદાણી ગ્રુપે આ અહેવાલને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો હતો. આ અહેવાલ આવ્યા બાદ અદાણી ગ્રૂપના તમામ શેરમાં ભારે ઘટાડો થયો હતો અને તેમની મિલકતને પણ ભારે નુકસાન થયું હતું. બાદમાં આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો અને હવે ચુકાદાનો દિવસ પણ આવી ગયો છે.

Leave a Comment